અહંકારમાથી મુકત થવાનો  ઉપાય  શું? * અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું. * પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી. * શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી. * અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું. * મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ. * સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.

પરમ પદના અધિકારી કોણ થઈ શકે? * જે માન અને મોહના ભાવથી મુકત થઈ ગયા છે.* આશક્તિ પર જેમણે વિજય મેળવ્યો છે. * પરમાત્મા તત્વમાં જેમની નિરંતર સ્થિત છે. * સુખ દુઃખ આદિ દ્રન્દ્રોથી જે મુકત થઈ ગયા છે. * વિવેક-વૈરાગ્ય વડે જેમણે સર્વ કર્મફળને ત્યજી દીધા છે * પ્રિય કે અપ્રિય પદાર્થો સમીપ હોવા છતાં જેમનામાં રાગ-દ્રેષ જન્મતા નથી. * દેહ-ધર આદિ પદાર્થોમાં જેમને મમતા નથી તેવા સાધકો.

ભોજન કરતી વેળા શું ધ્યાન રાખવાનું ? * પોષણ માટે ખાઈએ છીએ તે સ્મુતિ હાજર રાખવી. * ભોજન ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ. * આહાર સાત્વિક છે કે નહી તે જોવું જોઈઍ. *  સ્વાદનો ખ્યાલ રાખીને નહી પણ પેટની ભૂખ ધ્યાનમાં રાખી જમવું જોઈએ;માપસર આહાર લેવો જોઈએ;ઊણૉદરી વ્રત પાળવું જોઈએ. * અન્ય જમનારા છે એ વાત ભુલાવી ન જોઈએ. * મફતનું ખાવાની વ્રુતિ ન હોવી જોઈએ.

શ્રેષ્ઠ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.

સન્માન પ્રાપ્ત કરવાનો ઇલાજ શું ? * સૌને સન્માન આપવું તે.

દષ્ટી બદલવાનું ઉત્તમ સ્થાન કયું ? * સ્વબળ. * સંગ.

સર્જનનો આરંભ કયારે થયો હશે? * ઇચ્છાશક્તિએ ક્રિયાશક્તિનો સહયોગ કર્યો હશે ત્યારે.

ખરી કેળવણી કઈ ? * ભરણપોષણ માટે પરાવલંબી ના બનાવે. * બાહ્ય અને આંતરજ્ઞાન મેળવવાની માણસની મુળભુત શક્તિને બેઠી કરે. * અંતરશુધ્ધિ અને દેહશુધ્ધિની શક્તિ આપે.

અન્તઃકરણ એટલે શું? * જિવાત્માની ક્રિયાશક્તિ. * એ એવી શક્તિ છે જે બધી ઇન્દ્રિયોને પ્રવૃતિ કરવા પ્રેરે છે. * મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એ ચાર અન્તઃકરણના વ્યાપાર અથવા વિભાગ છે -તેમાં વિકલ્પ કરે તે મન. -પદાર્થનો નિશ્ચય કરે છે તે બુધ્ધિ. -સ્વાર્થ અથવા પરમાર્થનું ચિંતન કે અનુસંધાન કરે છે તે ચિત. -;હું છુ\’ એવો ભાવ રહે છે તે અહંકાર.

ધ્યાન કોને કહેવાય? * કેન્દ્રવર્તી વૃતિને. * ચિતની વિચારશુન્ય સ્થિતિને. * સરળ રીટે કહેવું હોય તો ચિતમાં કશાનો સંગ્રણ ન કરવો એ ધ્યાન છે. * બહારના જે પદાર્થો,વિચારો ચિતમાં પ્રવેશી ગયા છેએમને બહાર કઢી નાખવા એ ધ્યાન છે * માન્યતાઓનો ત્યાગ. * મનનો લય થઈ જાય તેને. * વિકલ્પ વિનાની,દ્રન્દ્ર વિનાની સ્થિતિ. * ચૈતન્યની નિરંતર સ્મૃતિ;સતત જાગૃતિ. * ઝેન ગુરુઓ મનના અભાવને ધ્યાન કહે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors