વ્યક્તિ સાથે સંબંધ જોડતી વેળા શું કાળાજી રાખવી? * તેની ઉદાર ચિતની. * તેનાં આંતરિક ગુણો ખ્યાલમાં આવે તેની. -તેનામાં નમ્રતા,ધેર્ય,સુઝ,સત્યને સમજવાની તાલાવેલી,હ્રદયની વિશાળતા,નિષ્ઠાઔધમવૃતિ,સાહસિકતા વગેરે ગુણૉ છે કે નહી તે જોવું,તેની આંતરિક સમૃધ્ધિ સારી હોય પછી બ્રાહ્ય બાબતો ગૌણ બની જાય છે. * તેની ચાલચલગતની. * તેની આદતોની અથવા ટૅવોની. * તેના મિત્રમંડળની. * તેનું જીવનધ્વેય શું છે તેની.
મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે? * કાળથી. -કાળચક્ર સતત ચાલ્યા કરે છે;ઋતુઓમાં પરિવર્તન થયા કરે છે,ીમાં વ્યક્તિનું કાંઈ ચાલતું નથી;સહિષ્ણુતા કેળાવી જીવવું પડે છે એમાં અથવા પ્રત્યેક ઋતુની પ્રતિકુળતામાંથી બચવા ઉપાય કરવો પડે છે. * કર્મથી. -મનુષ્ય પોતે કર્મનું નિર્માણ કરે છે અને તેનું ફળ એને જ ભોગવવું પડે છે.છતાં મનુષ્ય સાવધાન રહી કર્મ નથી કરતો અને કર્મોનાં ફળથી એવો ધેરાઈઅ જાય છે કે તેનું જીવન ખારું થઈ જાય છે. * સ્વભાવથી. -દરેક મનુષ્યનો આગવો સ્વભાવ હોય છે અને સામાન્ય રીતે તે પોતાના સ્વભાવથી ધેરાયેલો રહે છે.મનુષ્ય પરિસ્થિતિને પોતાની રીતેં […]
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથી એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી ‘આ નહિ;,;આ નહી’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને ‘દશ્ય’જેવું કાંઈ નહી રહે પછી ‘નેતિ,”નેતિ’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રહે,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહે મ્પછી શું વ્યક્ત કરવાનું રહે?