ખરો જ્ઞાની કોણ ? ખરો જ્ઞાની કોણ ?

ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]

પશુબુધ્ધિ કોને કહેવાય?

પશુબુધ્ધિ કોને કહેવાય? * ‘હું’અને ‘મારા’માં રચ્યાપચ્યા રહેવું. * અહંતા-મમતામાં નિમગ્ન રહેવું. * સ્વાર્થને કેન્દ્રમાં રાખી વિચારવું. * સુખને સત માની લેવું.

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ?

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ? * જેની વાણીમાં કટુતા છે. * જે લાલચુ છે, * જે બોલે છે કાંઇ અને કરે છે કાંઇક. * જે કપટી છે ,સ્વાથી છે.

આરતીનું મહત્વ શું છે? આરતીનું મહત્વ શું છે?

આરતીનું મહત્વ શું છે ? * આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે. – આચમની, જળ તત્વનું પ્રતીક છે. – વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે – દિપ, તેજ તત્વનું પ્રતીક છે – ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને -ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે. * પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા  ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.

સાચી દિશા કઈ?

સાચી દિશા કઈ? * યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે. -આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને પણ યોગ્ય રાહે લઈ જવું હોય તો સંતનો આશ્રય લેવો ઇષ્ટ છે, -સંત જીવનનો સાચો રાહ બતાવે છે,જેણે પોતાના જીવનમાં પ્રકાશ જોયો છે તે જ બીજાને માર્ગદર્શન આપી […]

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ?

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ? * જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા. * અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન. * દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું. * કઠોર વાણી ઉચ્ચારવી. * અસત્ય વચન બોલવું. * અન્યની નિંદા કરવી. * બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી. * કારણ વિના નકામુ બોલબોલ કરવું. * મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું. * પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ? બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ?

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ? * વિનય ન ચુકવો. * વિવેક ન ત્યજવો. * પ્રિય વચન બોલવા. * જરુર હોય તેટલું જ બોલવું. * સામી વ્યક્તિને સમજાય તેવી રીતે બોલવું

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ?

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ? * યોગ્ય દિશામાં મહેનત થઈ અહી છે કે નહિ તે સાવધાની રાખી તપાસવું. * પરિણામ હાથવેતમાં છે એમ સમજી પુરૂષાર્થ ચાલું રાખવો.હિંમત ન હારવી. * એક યોજના નિષ્ફળ જવાથી જીવન ખતમ થઈ જતું નથી એવી સમજ હાજર રાખવી. * નિરાશ કે નિરૂત્સાહી થયા વિના કયાં ભુલ રહિ જાય છે તે શોધવાનું ચાલું રાખવું.

અભ્યાસ કોને કહેવાય ?

અભ્યાસ કોને કહેવાય ? * જે વસ્તુ જાણાવી કે સમજવી છે તે નિત્ય,નિયમિતપણે અને ખંતપુર્વક કરવી. * એકની એક બાબતને વારંવાર કરવી. * ચિતને અન્ય સ્થાનો પરથી ખસેડી લઈ એક જ સ્થાનમાં સ્થિર કરવું,જોડાવું.

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ? * જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે. -જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે. -ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે અને મન તત્વને સ્વીકારી લે પછી ધર્મ દઢ બની શકે છે

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors