વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો ? * નિરાશ ન થવું. * હિંમત રાખવી. * ધૈર્ય રાખવું. * કર્તવ્ય કર્યા કરવું.
મનુષ્યને સૌથી વધુ કોણ સતાવે ? * ભૂખ
શું કળવું મુશ્કેલ છે? * માનવીનું મન
કલ્પના કોને કહેવાય? * ભવિષ્ય સંબંધેના વિકલ્પોને કલ્પના કહેવાય.
અભ્યાસમાં મહત્વના અંગ કયાં? * નિત્યપણૂં. * નિયમિતપણૂં.
કાળજીપ્રુર્વક શું સાચવવું ? * વર્તમાનકાળ.
વ્યવહાર કરવાની ઉત્તમ રીત કઈ ? * વ્યવહાર પરમાત્માનો જ છે એમ સમજીને જ કરવો જોઈએ.
યોગમાર્ગમાં પ્રાધાન્ય શું? * ધ્યાન.
મનને શેનો રોગ લાગુ પડે છે? * શેખચલ્લીપણાનો. * દશ્યસૃષ્ટિનો. -જગતના પદાર્થો જોઈ મન ચંચળ અને વિક્ષિપ્ત બને છેમનની આકાંક્ષાઓ આકાશ જેટાલી અનંત બને છે અને હાથમાં હવાના બાચકા સિવાય કાંઈ આવતું નથી.આથી મન શિથિલ અને નાસીપાસ થઈ માંદલું બની જાય છે.
ઉત્તમ કોને માનવું ? * અનાયાસે આવી મળે તેને.