ધ્યાન કોને કહેવાય? * કેન્દ્રવર્તી વૃતિને. * ચિતની વિચારશુન્ય સ્થિતિને. * સરળ રીટે કહેવું હોય તો ચિતમાં કશાનો સંગ્રણ ન કરવો એ ધ્યાન છે. * બહારના જે પદાર્થો,વિચારો ચિતમાં પ્રવેશી ગયા છેએમને બહાર કઢી નાખવા એ ધ્યાન છે * માન્યતાઓનો ત્યાગ. * મનનો લય થઈ જાય તેને. * વિકલ્પ વિનાની,દ્રન્દ્ર વિનાની સ્થિતિ. * ચૈતન્યની નિરંતર સ્મૃતિ;સતત જાગૃતિ. * ઝેન ગુરુઓ મનના અભાવને ધ્યાન કહે છે.
ભુખ કેટલા પ્રકારની છે ? * ત્રણ પ્રકારની -શરીરની ભુખ ભોજન દ્રારા શમે. -મનની ભુખ પરમ શાંતિ અનએ આનંદ પામવાથી શમે. -બુધ્ધિની ભુખ સૃષ્ટિનું ગહન સત્ય જાણાવાથી શમે.
પવિત્રતા કયાં ધરમાં નિવાસ કરે છે ? * જે ગ્રુહમાં કલેશ કે કંકાશ નથી. * સ્નેહ અને સભ્યતા છે. * શુભ આચાર વિચાર છે. * સંપ અને સંતોષ છે. * પ્રભુભક્તિ છે. * સ્વછતા માટેની તાલાવેલી છે અને કોઈનો દોષ જોવાની દષ્ટિ નથી.
નાસ્તિક કોને કહેવો ? * જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય. * જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે. * પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય. * મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય. * મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય. * પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય..
ભગવતનામ લેતી વેળા શરુઆતમાં શેની જરુર છે ? * શ્રધ્ધાની,ધીરજની અને સાતત્યની.
શેમાથી બચવા જેવું છે ? * ભોગવિલાસમાંથી. * મહાત્વાકાંક્ષાઓમાથી. * ત્યાગના અહંકારમાથી.
ગુરૂનો મહિમા શા માટે છે ? * ગુરૂનો અર્થ છે મોટું અને ભારે.બીજો અર્થ છે માર્ગદર્શક અને ભોમિયો.એમાં માર્ગદર્શકનો મહિમા છે;પણ માર્ગદર્શકે પ્રવાસીને પોતાની પાસે રોકવો ન જોઈએ. * ગુરૂ સંસારસાગરની નૌકા છે. * પરમાત્માને પામવાનું પ્રવેશ દ્રાર છે. * પરમાત્માની પરમ સુગંધ છે. * અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરૂ છે.
સમાજ કોને માફ નહી કરે ? * જે નિર્દય છે. * જે પોતાના સ્વાર્થમાં અંધ બની અન્યનું અહિત કરતો રહે છે. * જે સમાજની અવગણના કરે. * જે નિષ્કારણ પાપ આચરે છે, દુષ્ટ બને છે,ભષ્ટ બની અન્યને ભષ્ટ કરે છે,આતંક ફેલાવે છે અને જે નીતિમય છે તેને પજવે છે અને સુંદરને અસુંદર કરી મુકે છે.
દિવ્ય આનંદનો અનુભવ કેમ નથી થતો? * ઇચ્છાઓના વમળો ઊઠયા કરે છે ? * રાગ-દ્રેષનાં તોફાનો જાગ્યા કરે છે. * આસકિતના મૂળ ઊડાં જાય છે ઍટલે.
આનંદ કયાથી મળે ? * આપણે પોતે આનંદરુપ હોવા છતાં બહારથી આનંદ મેળાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઍટાલે બાહ્ય આનંદ ક્ષણિક નીકળે છે,બહારની સ્થિતિ આપણને વશ નથી,બદલાયા કરતી હોય છે. * આનંદ વસ્તુમાં નથી,આપણે આપણા આનંદનું પ્રતિબિંબ વસ્તુઓમાં જોઈએ છીએ એટાલે વસ્તુઓમાં આનંદ લાગે છે,હકીકતે તે આપણા આનંદનું જ પ્રતિબિંબ છે,આત્મા સ્વંય આનંદરુપ છે શરીર દ્રારા ભોગ ભોગવવાથી આનંદ મળૅ છે તે અજ્ઞાન છે. * આપણી અંદરથી જ આનંદનું ઝરણૂ ફુટે છે અંદર ઉપાધિરહિત સ્થિતિ જન્મે એટલે આનંદ જ છે અને આનંદ હોય ત્યાં શાંતી હોય.