પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ? * પ્રુર્વગ્રહ વિના પ્રશ્નોને તપાસવા. * સામી વ્યક્તિના દષ્ટિકોણનો વિચાર કરવો. * અન્ય વ્યક્તિઓને કે સંયોગોને દોષ ન આપવો. * બધા વિકલ્પો વિચારી જોવા. * નિષ્ણાતની સલાહ લેવી. * વ્યવહારુ બનવું. * પ્રશ્નને સમજવા પુરતો સમય લેવો. * પ્રશ્નની તરફેણમાં અને વિરુધ્ધમાં શું છે તે સમજી લેવું.

પ્રકૃતિ શું છે? * ઇચ્છાશક્તિ અને તેના અંતર્ગત ત્રણ ગુણ સહિત ચોવિસ તત્વોનો સમુહ અથવા પરમાત્માની ક્રિયાશક્તિ. * પ્રગટીકરણનો મૂળ સ્રોત. * સર્વનું સ્થુલ કારણ. * પ્રરમાત્માનું પ્રગટ સ્વરુપ. * પ્રરમાત્માની વિષયો પરત્વેની ગતિ. * અવ્યક્ત ગર્ભબીજ. * સર્વ રુપોનું આદિ સ્થાન.

કંટાળૉ કેમ આવે છે ? * જીવનનું ધ્વેય સ્પષ્ટ નથી. * ઓછી મહેનતે વધારે રળાવું છે અથવા મેહનત કર્યા વિના વધુ મેળવવું છે.

ખરો શિક્ષિત કોણ ? * અનેક વિકલ્પો વચ્ચે સ્વસ્થ રહી શકે તે. * વિવિધ શકયતાઓ વચ્ચે જેનો આત્મવિશ્વાસ ડગી જતો નથી તે.

આ  જગતમાં અપ્રગટ શું છે? * સુક્મ શરીરના ધટાકો. * જીવ,આત્મા અને પરમાત્મા. * જન્મ પહેલાની અને મરણ પછીની સ્થિતિ.

સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ? * સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે; -પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર. * લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે. -પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.

સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય? * અસીમ પ્રેમમાં.

વાણીનો કયારે ઉપયોગ ન કરવો? * ક્રોધની પળોમાં મૌન રહેવું. -તલવારનો ધા રુજાઈ જાય છે પણ વાણીનો ધા જીવનભર અંક્તિ થઈ જતો હોય છે. * કોઈનું અહિત થતું હોય તેવી વાણી ન ઉચ્ચારવી. * સામી વ્યક્તિ સાંભળાવા તૈયાર ન હોય ત્યારે ન બોલવું.

પ્રાયશ્ચિત કોને કહેવાય ? * કરેલા દુરાચાર કે ક્રોધને ભુલી જવા માટેની તપશ્ચર્યા;એટલે કે ફરી એ દોષ ન થાય એ જાગૃતિ.

હ્રદયને કોણ ટાઢક આપી શકે ? * નિર્મળ પ્રેમ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors