સ્વ-સ્વરુપને દર્શનને આડે આવતા આવરણૉ ? * આ આવરણૉ પંચકોષરુપ રહેલા છે. -અન્નમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા સ્થુળા શરીર સાથે ઝકડાયેલો રહે છે. -પ્રાણમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મ ઇચ્છાઓ સાથે સંકળાયેલો રહે છે. -મનોમયકોશ. આ કોશ દ્રારા જીવાત્મા મન સાથે જોડાયેલો રહે છે. -વિજ્ઞાનમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા બુધ્ધિ સાથે પકડાયેલો રહે છે. -આનંદમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા વિષયરસ સાથે બધ રહે છે.
કયાં કારણે આત્મા જીવભાવમાં બંધાય છે ? * સંગદિષથી. * ધૃણા અથવા દયા. * શંકા,ભય,લજજા. * નિન્દા,મારા-તારાપણાનો ભાવ. * કુળ,અહંની હાજરી. * શીલ અને * વિત્તને કારણે. આત્માવિભાગમાં કોણ આવે? * ઈચ્છા ઉપર અંકુશ મુકી શકે તે.* જે નામરૂપનો ઉપયોગ કરે,તેની પાછળ ફના ન થાય તે.
આત્મા ભણીને યાત્રા કયારે શરૂ થાય ? * મન,બુધ્ધિ,ચિત્ત અને અને અહંને પોષણ આપતા સકલ આધારો નિમૂળ થવા માડે ત્યારે. આત્માનો અનુભવ કોને કહેવાય? * જેનો કર્તાપણાનો અને ભોક્તાપણાનો ભાવ નિર્મૂળ થઈ જાય. આત્મજ્ઞાન કોને થતું નથી ? * જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.
તવ્તજ્ઞ કોને કહેવો ? * જે આત્મનિષ્ઠ હોય. * પરમ શાંતી હોય. * સદૈવ આનંદિત હોય. * સંસાર પ્રત્યે નિત્ય તૃપ્ત હોય. * મન અને ઇન્દ્રિયોને વશ કર્યા હોય. * અયોગ્ય અને કામ્ય કર્મોથી મુકત હોય. * વિષયસુખથી અળગો થઈ ગયો હોય. ખરો તવ્તજ્ઞાની કોને કહેવો ? * જે પંચમહાભુત,પાંચ તન્માત્રા,પાચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો તેમ જ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકારનો સજાગપણે અને વિવેકપુર્વક ઉપયોગ કરી શકે તેને તત્વજ્ઞાની કહેવો જોઈએ. * જે પોતાપણુ ખોઈ શકે તે. તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો […]
આપણને પરમ શક્તિનો અનુભવ કેમ થતો નથી ? * આપણે દેહરૂપે વર્તીએ છીએ માટે. * એ માટે શરીર ,મન અને હ્રદયને જે તપમાંથી પસાર કરવા જોઈએ તે કર્યા નથી એટલે. આ ત્રણેયની શુધ્ધિ વિના અંદરનો અરીસો કેવી રીતે ઉજજવલ બને? એટલે એ ત્રણેયને તપાવીને એમાં જે અશુધ્ધિકરણ છે તેને ગાળી નાખવું જરૂરી છે. * રાગ-દ્રેષની પ્રબળતા. * અમર્યાદિત ઇચ્છાઓ અને વાસનાઓ. * સંસારની બાબતોને અગ્રતાક્રમ.
પરમ પદની પ્રાપ્તિ કયારે થાય ? * દશ્ય વિભાગની કોડી જેટલી કિંમત થઈ જાય. * અહંકાર નામશેષ થઈ જાય. * લોભનું વિસર્જન થઈ જાય. * મોહનો ક્ષય થઈ જાય. * માયા-મમતા છૂટી જાય. પરમ શક્તિની પ્રતીતિ વધુ કયારે થાય ? * સર્જનની ક્ષણૉમાં – પરમ શક્તિની હાજરીમાં મહાન ઊર્જાશક્તિની ઉપસ્થિતિમાં સર્જન શક્ય બને છેઃ સર્જનથી ધબકતી ક્ષણૉમાં સ્વયંનું વિસર્જન કરી દેવું એજ અસામાન્ય અનુભવ છે. * સમાન સ્થિતિએ પહોચીએ ત્યારે. -આપણે સીમિત છીએ.એટલે આપણી પહોચ હોય તેટલો જ અનુભવ થાયઃચેતનાનો અનુભવ કરવો.હોય તો એની સમસ્થિતિએ પહોચીને જ શકય બનેઃવ્યાપક જ […]
પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ? * વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો. * જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી. * હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું. * પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું. * પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. * રાગ-દ્રેષથી અળગા રહેવું. * રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું. * અન્તર્મુખ થઈ અંદરના જગત પર […]
આપણામાં ભગવતજયુતિનો આવિર્ભાવ કયારે થાય ? * ભગવત જયોતિ આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે * ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે. * જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે. ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય […]
તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી? * સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.
આધ્યાત્મિકતા માર્ગે જવા શું શું જરૂરી ? * નિશ્ચય. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.