મોહની શક્તિ શેમાં રહેલી છે ? * દુર્ગુણમય કે દોષસંપન્ન હોય એવા પદાર્થોમાંથી કે વ્યક્તિમાથી અળગા કે મુકત નથી વાતુ તે મ્હની શક્તિને લીધે. -આપણી પ્રકૃતિને શુ રુચિકર છે અને શુ અરુચિકર છે તેની જાણકારી હોવા છેતાં શરીરને હાની પહોચાડનાર પદાર્થને છોડી શકાતો નથી તે મોહને કારણે જ.રોગીને જાણ હોય છે કે ભારે ખોરાક કે તળેલા પદાર્થો તેને માટે ઝેર સમાન છે,છેતાં તે તેને છોડી શકતો નથી કારણકે એવા ખાધ પદાર્થો પ્રત્યે તેને આસર્ષણ છે મોહ પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ […]
સુખની જેમ સફળતા મેળવવા માટે તમારે પ્રયત્નો કરવાના હોતા નથી. ખરેખર તો ગમે તેવા મુશ્કેલ પડકારોની સામે ઝઝૂમવાની તૈયારી હોય તો સફળતા આપમેળે તેની પાછળ ખેંચાઇ આવે છે.’
આધ્યાત્મિકતા ભણી શા માટે જવું? * પરિપૂર્ણતાનો અનુભવ કરવા. * આપણી ઉદાશીનતાને ઓગાળી નાખવા. * આપણિ આંતર-બાહ્ય જડતાને ખંખેરી નાખવા. * આપણી ચેતના દ્રારા મહાચેતનાની અને આત્મા દ્રારા પરમાત્માની અનૂભુતિ કરવા. * સત્,ચિત અને આનંદનો સાક્ષાત્કાર કરવો. * મૂળ મુકામે પહોચવા. * અમૃતની અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરવા. * હું પણાના અત્યંત દુર્ભધ આવરણને ભેદવા. * સીમિત પ્રદેશમાંથી ચરણ ઉઠાવી અસીમના પ્રદેશમાં પદાર્પણ કરવા. * સત્યને સંપુર્ણ સંસ્પર્શ કરવા.
મોહ કોને કહેવાય ? * આકર્ષકને. * વ્યકિત કે પદાર્થ પ્રત્યેના ભોગવટાનું આકર્ષણ. મોહના પાયામાં શું છે? * આકર્ષણને. * વ્યક્તિકે પદાર્થ પ્રત્યેની આશક્તિ. મોહમાથી કયારે બચાય ? * ભગવત તત્વમાં આપણે સ્થિર થયા હોય તો. * હ્રદય ભક્તિથી તરબોળ રહેતુ હોય તો. * પદાર્થ માત્ર નાશવંત છે તેની દઢ પ્રતીતિ થઈ જાય તો-અથવા આ ક્ષણભંગુર જગતમાં બધુ નિત્ય પરિવર્તનશીલ છે એવી સમજણ હાજર હોય તો. મોહમાંથી કોણ બચાવી શકે ? * વિવેક કયો મોહ સૌથી વધુ ધાતક છે ? * પોતાના મંતવ્યો કે માન્યતા પ્રત્યેનો […]
વાસનાના અંકુર કયાં સુધી ફુટયા કરે ? * દેહભાવ પ્રબળ હોય ત્યા સુધી.શરીર ન છુડે ત્યાં સુધીદેહભાવનું સમૂળગૂં વિસર્જન દુષ્કર છે,વિરલ વ્યક્તિઓ જ કામના પ્રભાવથી મુકત રહી શકે છે. * બહિમુર્ખતા રહે ત્યાં સુધી. વાસનાને સમાવી શકાય ખરી ? * દેહધ્યાદ છુડી જાય તો વાસના શમે. * પૂર્ણતાનો અનુભવ થાય તો વાસના શાંત થઈ જાય. * વાસના ઉપભોગથી વધતી જાય છે. * જોર-જુલમથી દમન કરવામાણ આવે તો પણ વધતી જાય છે. * આ બંને પ્રક્રિયાનું કેવળ સૈધ્ધાંતિક નહિ,પંઅ સત્ય જ્ઞાન જ વાસના શમાવનારૂ છે,અથવા વસ્તુ,પદાર્થ કે શરીરના સધન પરિચયથી […]
જીવનને ધર્મમય બનાવવા કયાં સદગુણો જરૂરી છે? * સ્વધર્મને ઓળખવો. * ક્ષમા-અપરાધીને ક્ષમા આપવી,પોતે કૉઈનો અપરાધ કર્યો હોય તો ક્ષમા માગવી. – સૌ પ્રત્યે મિત્રભાવ કોઈ પ્રત્યે વેરભાવ નહિ. * માર્દવ-વિનય, અહંકાર અને અભિમાનનો અભાવ,જાતિનું કુલનું,તાકાતનું,યૌવનનું,તપનું,રૂપનું,આરોગ્યનું,જ્ઞાનનું,ઐશ્વર્યનું,કે સત્તાનું અભિમાન ન રાખવું, -નમ્રતા ન ચુકવી, * આર્જવ-સરળતા,જે મનુષ્ય કપટી છે તે પોતાને સૌથી વધુ નુકશાન પહોચાડે છેજયારે ઋજૂ મનુષ્ય પોતાને અને અન્યને શાંતિ અને સુખ મળે એવું કરે છે. * શૌચ-પવિત્રતા,શરીરની જેમ જ મનની પવિત્રતા,જેના તન અને મન બંને સુદર રહે તેજ વિકારોમાથી બચી શકે છે. * સત્ય-જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સત્ય અપનાવવુ […]
વર્તમાન કાળમાં જીવવું એટલે શું? * જે કાર્ય હાથમાં લીધુ હોય તેમાં સો ટકા ડુબી જવું. * તત્વદર્શન વિના અન્ય કોઇ લગની ન હોવી જોઇએ. * આ જન્મમાં સર્વોપરિ શક્તિનો સાક્ષાત્કાર કરવો છે એજ માત્ર નિષ્ઠા હોવી જોઇએ. * આડુઅવળુ જોયા વિના માત્ર ભગવાન માજ નિષ્ઠા એટલે વર્તમાનમાં જીવવું. * હાથમાં લીધેલ કાર્યને ભગવતકાર્ય માની તેમાં લયલીન થઈ જવું. * ભગવાનની ઇચ્છાને આધીન થવું. * શેની ઇચ્છાને શેની વાત!આપણે કયાં કાઈ જોઇએ છીએ એવો નિશ્ચય થઈ જાય પછી વર્તમાનમાં જીવ્વવાનું સહેલું બની જાય છે.
અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર અજ્ઞાનની શક્તિ કઈ? * વિસ્મૃતિ
અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ. * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?
અજ્ઞાનને દુર કરવા શું કરવું જોઈએ ? * સંતસમાગમ * અશાસ્રોનો નિરંતર અભ્યાસ. * અનુભવી પુરૂષોના ગ્રંથોનું અધ્યયન. * આંતર નિરીક્ષણ. * બાહ્ય-જગત પ્રત્યે આંખ-કાન ખુલ્લા રાખવા.