અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.
ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.
ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.
જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.
ઓમ શું છે ? * સર્વ વેદોનો સાર. * સર્વ મંત્રોનુ બીજ. * સકળ પ્રાર્થનાઓનું સત્વ. * ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. * જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. * અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..
ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ? * જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી ! * પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું. * કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો. * વળગણો ઓછી કરવી. * ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી. * વ્યવહાર ઓછો કરતો જવો. * કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી. * ભગવાનનું સમજી બધું કરી છુટવું. * ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું. […]
મનુષ્ય મરે છે પણ સંસ્કારો મરતા નથી એટલે શુ? * સંસ્કારો સુક્મ શરીર સાથે સંકળાયેલા છેએટલે શરીર મરવા છતાં વાસનાઓનો,વિચારોનો,કર્મોનો અને અનુભવોનો અંતઃકરણમાં જે સંગ્રણ કર્યો છે તે સુક્મ શરીર સાથે જોડાયેલા રહે છે.
આત્મનિષ્ટ કોણ છે ? * જેને પોતાના સ્વરુપની અખંડ જાગૃતિ છે. * જેને પોતાનું અને પરમાત્માનુ સ્વરુપ યથાર્થપણે જાણ્યુ છે. * જેનું જીવન સત્સંગમય છે,ભક્તિમય છે. * જેનાંવિચાર,વાણી અમે વર્તન ઉજ્જવળા છે.
અસીમ આનંદનું દ્રાર કોણ ખોલી આપે? * સાધુ-સંતોની અને અનુભવી પુરુઓની સંગતિ.. સાકાર કોને કહેવાય ? * આકૃતિ સહિત દર્શન તે સાકાર,જે નેત્રો વડે થાય. * નિરાકારનો જે ભાગ ઇન્દ્રિયોની પકટમાં આવે તે સાકાર. * જેને માપી શકાય તે. * જે ઇન્દ્રિયમય છે તે. નિરાકાર કોને કહેવાય ? * આકૃતિ રહિત દર્શન તે નિરાકાર અને તે વિચારથી થાય છે. * જે ઇન્દ્રિયગમ્ય નથી અથવા ઇન્દ્રિયોની પકડની બહાર છે જે માપ બહાર છે.
પ્રકૃતિ ખરેખર ત્રિગુણાત્મક છે ? * સામાન્ય રીતે આપણે પ્રકૃતિન ત્રિગુણાત્માક કહીએ છીએ.સત્વગુણ,તમોગુણાને રજોગુણનું દર્શન અંતઃકરણમાં થાય છે, એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક લાગે છે.પણ વાસ્તવમાં પ્રકૃતિમાં કોઈ ગુણ નથી.તે સ્ફટિક જેવી નિર્મળ છે. * વાસ્તવમાં પરમાત્માની ઇચ્છાશક્તિ જ પોતે ત્રિગુણાત્મક છે.કોઈ પણ ઇચ્છા જયારે બર્હિમુખ બને છે ત્યારે કોઈ પણ એકગુણની પ્રધાનતાનું દર્શન પ્રગટ થયેલી ઇચ્છામાં થાય છે. પરંતુ અંતઃકરણ દ્રારા ઇચ્છા પ્રકાશિત થતી હોવાથી ત્રણ ગુણૉનું દર્શન અંતઃકરણમાં થાય છે.ટુકમા ઇચ્છાશક્તિ જ ત્રિગુણાત્મક છે. * ઇચ્છાશક્તિ દશ્ય વિભાગના સંપર્કમાં આવે પછી તેનામાં સ્પંદન ઊઠે છે. દશ્ય વિભાગમાં સાત્વિક સ્થિતિ હોય […]