અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ. * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?

અજ્ઞાનને દુર કરવા શું કરવું જોઈએ ? * સંતસમાગમ * અશાસ્રોનો નિરંતર અભ્યાસ. * અનુભવી પુરૂષોના ગ્રંથોનું અધ્યયન. * આંતર નિરીક્ષણ. * બાહ્ય-જગત પ્રત્યે આંખ-કાન ખુલ્લા રાખવા.

જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ? * અનુભવિઓએ ચિધેલો. * મધ્યમમાર્ગ. * કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે. * માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે. * રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું. * અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે. * નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી […]

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. –  આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.

ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.

ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.

જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.

ઓમ શું છે ? * સર્વ વેદોનો સાર. * સર્વ મંત્રોનુ બીજ. * સકળ પ્રાર્થનાઓનું સત્વ. * ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. * જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. * અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..

ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ?

ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ? * જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી ! * પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું. * કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો. * વળગણો ઓછી કરવી. * ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી. * વ્યવહાર ઓછો કરતો જવો. * કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી. * ભગવાનનું સમજી બધું કરી છુટવું. * ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors