અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ. * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?
અજ્ઞાનને દુર કરવા શું કરવું જોઈએ ? * સંતસમાગમ * અશાસ્રોનો નિરંતર અભ્યાસ. * અનુભવી પુરૂષોના ગ્રંથોનું અધ્યયન. * આંતર નિરીક્ષણ. * બાહ્ય-જગત પ્રત્યે આંખ-કાન ખુલ્લા રાખવા.
જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ? * અનુભવિઓએ ચિધેલો. * મધ્યમમાર્ગ. * કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે. * માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે. * રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું. * અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે. * નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી […]
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.
અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.
ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.
ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.
જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.
ઓમ શું છે ? * સર્વ વેદોનો સાર. * સર્વ મંત્રોનુ બીજ. * સકળ પ્રાર્થનાઓનું સત્વ. * ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. * જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. * અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ..
ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ? * જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી ! * પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું. * કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો. * વળગણો ઓછી કરવી. * ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી. * વ્યવહાર ઓછો કરતો જવો. * કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી. * ભગવાનનું સમજી બધું કરી છુટવું. * ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું. […]