જીવનને સરખી રીતે સમજવાની શરુઆત કયારે થાય? * મોહ અને મમતાનાં દઢ બંધન ઢીલા થાય ત્યારે.
જીવનને સુધારવું એટલે શું? * તેને દોષોમાથી મુકતકરી સદગુણોથી શોભાવવું.
જીવનનો કયો નિયમ અફર લાગે છે * કર્મનો,વાવે તેવું લણે અને કરે તેવું પામે એ નિશ્ચિત છે. એટલે કશું કરતા પહેલા ખુબ જ જાગ્રત રહેવું જરુરી છે.
જીવનનો ભાર વહેવાની સાનુકુળતા કયારે રહે ? * સન્મિત્રો અને સત્પુરુષોનો સહવાસ હોય ત્યારે. * નિષ્કામભાવે અથવા નિઃસ્વાર્થભાવે તમામ પ્રવૃતિ થતી હોય ત્યારે.
મનુષ્ય શેમા સપડાય છે ? * પ્રેયમાં ? * તત્કાળ સુખમાં. * ક્ષણભંગુર ભોગવટામાં. * બહારના ભભકામાં,દેખાવમાં. * રુપમાં-સૌદર્યમાં. * લોભ-લાલચમાં. * ઇન્ટ્રિયોમના વિષયોમાં.
કયો મનુષ્ય પોતાના પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે ? * જે પોતાના અંતઃકરણ પર અને ઇન્ટ્રિયો પર અંકુશ રાખી શકે છે અથવા જેનૂં જીવન સંયમી છે. * જે લાલચુ અને સ્વાર્થી નથી. * જેનામાં પુરુથાર્થ અને શ્રધ્ધાનો ઉત્તમ સમન્વય થયેલો છે
મનુષ્ય પાપ કયારે કરી બેસે છે ? * આવેશમાં * પૂર્વના અવિચારી કર્મો ફળ આપવા તૈયાર થાય છે ત્યારે. * કોઇને કોઇ કારણસર અન્તઃકરણની સમતુલા ગુમાવી બેસે છે ત્યારે. * મન અને ઇન્ટ્રિયો બહેકી ઊઠે છે અને તેમને નિયંત્રણમાં રાખનારની હાજરી નથી હોતી ત્યારે.
મનુષ્યે કઈ બાબત નાની અથવા નજીવી ન ગણવી ? * પરમાત્માને. * પાપને, * રોગને. * શત્રુને. * અગ્નિને. * ઝેરના ટીપાને.
મનુષ્યે આંતરિક વિકાસ સાધવો હોય તો પાયાની બાબતો કઈ ? * સાધના. * વ્રુતિઓ અને વાસનાઓ પર અંકુશ. * રાગ-દ્વેષ જેવા ધાડપાડુઓના હાથમાં સપડાવું નહિ. * નિયમિતતા,નિષ્ઠા અને અનાસક્તિ કેળવવી. * પ્રત્યેક પરિસ્થિતીમાં સમતા રખવી. * જ્ઞાન પ્રાપ્તી માટે નિરંતર પુરુષાર્થ કરવો. * કોઇ પણ સંજોગોમાં શ્રધ્ધા ન ડગવી જોઇએ. * ચારિત્રનું જીવની જેમ રક્ષણ કરવું…
પરમાત્માની સહેજે સ્મૃતિ રહે તે માટે શું કરવું? * પ્રત્યેક બાબતમાં ભગવાનને આગળ રાખવા.એટલે કે કર્તાભાવ ન રાખવો.બધુ પ્રભુમય છે અને એમની ઇચ્છાથી જ થઈ રહ્યુ છે એવી નિત્ય જગૃતિ રાખવી. * પરમાત્મા શેઠ છે અને આપણે મુનિમ છીએ એવો નિરંતર ભાવ કેળવવો.