જીવનનું સરળ ગણિત કયું ? * કોઈના દોષો સામે દષ્ટિન કરવી. * અહંકાર છોડવો. * હરિસ્મરણ કરવું. * વહેચીં ને ખાવું. * અંતઃકરણ અને શરીર વિકાર રહિત કરવા. * સૌ પ્રત્યે સમભાવ રાખવો. * પુરુષાર્થ કર્યા કરવો; પરિણામ શ્રીહરિને સોપવું; નિષ્કામભાવે કર્મ કર્યા કરવું. * કોઈ જ્ઞાનીજને કહ્યું છે તેમ- સદગુણોનો સરવાળો,ગુણનો ગુણાકાર,બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર કરતા રહેવું.

મનુષ્ય અપ્રિય બને એવો કયો દોષ ગણાય ? * કટુ વાણી. * અભિમાન.

ભગવતસાધનામાં આગળ વધવા કઈ ચાર ભુમિકા જરુરિ છે? *જિજ્ઞાસુ અવસ્થામાં ભગવરસ્મરણ. * મુમુક્ષુ અવસ્થામાં માત્ર ભગવતકથાશ્રવણ નહિ પણ તેના મર્મમાં પ્રવેશ. * માર્ગાનુસારી અવસ્થામાં એ મર્મ અનુસાર સાધન-ભજન અને તે પરિપકવ થતા. *મુકતાવસ્થા.

સાચો સજજન કોને કહેવાય? * જે વર્ષાના વાદળની જેમ વર્તે તેને. -સાગરમાથી તે ખારુ જળ શોધે છે અને મીઠુ જળ વર્ષાવે છે -સારા-નરસાનો ભેદ કર્યા વિના બધે જળ વર્ષાવ્વ છે * અન્યની પીડા સમજે, તેને સહાય કરે અને છતા પોતે કાંઈ કર્યું છે એવું અભિમાન ન રાખે. * જેના વિચાર, વાણી અને વર્તન નિર્મળ હોય. * જેની દષ્ટિમાં સમાનતા હોય.રાગ-દ્વેષ ન હોય. * જે લોભ કપટ,પાપ.કામ અને ક્રોધથી મુકત હોય. * જે પોતાના દોષ અને અન્યના ગુણો જુએ તેને. * સદાચારને કેન્દ્રમા રાખી જીવન જીવે તેને. * અન્યના દુ;ખમાં ભાગ […]

મનુષ્યના દેહના બંધારણમાં કોનો ફાળો મહત્વનો છે ? * માતાપક્ષે માયાનો. * પિતાપક્ષે મોહનિ.

મનુષ્ય સુખ ભોગવ્યા પછી કેમ દુઃખનો અનુભવ કરે છે ? * ઇન્ટ્રિયોના સુખ છેવટે દુઃખમાં પરિણમે છે. * વિષયોમાંથી પ્રાપ્ત થતાં ક્ષણિક સુખોને કાયમી કરવાનો તે સતત પ્રયત્ન કરે છે; પણ તે કદી કાયમી બની શકતો નથી માટે તે દુઃખી થાય છે.

મનુશ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.

જડપણું એટલે શું ? * પરધીનતા; અવલંબનપણું. * ચેતનાનો ઓછામાં ઓછો આવિષ્કાર.

પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ કઈ છે ? * ત્રણ – શરીરને લક્ષ્યમાં રાખીએ તો તે જડ પદાર્થ છે. – મનને લક્ષ્યમાં રાખીએ તો તે ચેતન પદાર્થ છે. – આત્માંને લક્ષ્યમાં રાખીએ તો તે સ્વયં પૂર્ણ પદાર્થ છે.

જીવનને સફળ બનાવવા શૂં જરુરી છે ? * સદાચાર. * પ્રામાણિકતા. * સરળતા. * યુકત-આહાર- વિહાર. * યુકત પરિગ્રહ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors