સજજન વ્યક્તિમાં તરી આવતાં લક્ષણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા
મનને સંયમિત કરવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્યમાં દઢપણે સ્થિર થવુ. -અભ્યાસમાં અક્રિયતા છે.વૈરાગ્યમાં તટસ્થતા છે આ બંને પરસ્પર સહકારી હોવા જોઈએ.અભ્યાસ સક્રિય હોવાથી અને વૈરાગ્ય દ્રષ્ટા હોવાથી મનને સંયમિત કરી શકે.
મનુષ્યનું મન કેવું છે? * સુખન્દુઃખાત્મક કે દ્રન્દ્રાત્મક આભાસોની રંગભુમિ જેવું.
મનની વ્યાખ્યા શું છે? * ચલાયમાન ચેતના. * વિકલ્પો અને કલ્પનાઓનો સમુદાય.
મન તાણનો અનુભવ કયારે કરે છે? * ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે. * મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે. *ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે. * બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે. * અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે. * પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે. * વાસનાઓ તીવ્ર બને ત્યારે. * કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.
મનને શક્તિ કોણ આપે છે? * આત્મનિર્ભરતા.
ચિત્તમાં શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું ? * કર્મના નિયમોને બરાબર સમજી લેવા. * \’હુ\’પણાના ભાવથી અલિપ્તતા મેળવવી. * ભગવાન જે કરે છે તે સારા માટે એવો દઢ નિશ્ચય કરવો. * અન્યના સુખે સુખી થવું. * વહેતા જળની જેમ નિર્મળ રહેવું.
મન જ વિષયોમાં આસક્ત થઈ જાય તો શું થાય? * મનને એક બાજુ મુંકી દેવું જોઈએ અથવા તેને પરિણામનું સર્શન કરાવવું જોઈએ. * સાધના અશક્ય બની જાય.
મનમાં ભિન્ન ભિન્ન પ્રકારનું સામર્થ્ય કયા કારણે છે ? * દસેય ઇન્દ્રિયો સાથેના સીધા સંબંધને કારણે. * સત્વ,રજસ અને તમસ -આ ત્રણ ગુણોના પરિણામ ભેદને કારણે.
મનને કોણ પકડી શકે? * મન જ . -હીરાથી હીરા કપાય છે તેમ મનથી મન પકડાય છે પુરુષાર્થ અને હરિકૃપાનો સંયોગ થાય તો જ મન મનને પકડવા તત્પર થાય છે.