મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે? * \’લધુતાસે પ્રભુતા મિલે\’ એ સુત્રનો ઉપયોગ કરવાથી. * અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે. * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. * કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. * ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. * બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.  

આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને અવાભિવિક જીવન જીવે.

મનુષ્યને સૌથી વધુ પ્રિય શું છે? * પોતાનો દેહ અથવા પોતાનો પ્રાણ.

ખરો મુમુક્ષ કોને કહેવો? * આ જીવનમાં જ જેને મુકતપણાનો અનુભવ કરવો છે તેને. * જે જ્ઞાનને માત્ર વિચારની ભુમિકા ન રાખતાં સતત આચારમાં મુકે તેને.  

પ્રજ્ઞાવાન વ્યક્તિ કોને કહેવાય? * તત્ત્વદર્શીને. * જેની બુધ્ધિમાં તૃષ્ણા અને વેર માનશેષ થઈ ગયા છે તેને.

મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે. * જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે. * પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે, * ભગવતગીતા અનુસાર – વ્યર્થ આશા રાખનાર. – વ્યર્થ કર્મ કરનાર. – વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર. – જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા. – જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ. – જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય […]

ખરો ભાગ્યશાળી મનુષ્ય કોને કહેવાય? * જે ભાગ્યથી મુકત છે. * જેની બુધ્ધિ નિર્મળ થઈ ગઈ છે. * જે રાગ-દ્રેષ,ક્રોધ,લોભથી મુકત છે. * જે સુખ દુઃખને સમાન લેખે છે. * જેને દિયપ્રેમનો સ્પર્શ થઈ ગતો છે. * જેના અંતરના દ્રાર ઉધડી ગયા છે.

ખરેખર જાગૃત મનુષ્ય કોને કહેવાય? * ઓતે કોણ છે તે નક્કી કરી પોતાની સ્મૃતિ સહિત કાર્ય કરે તે. * જે સદ- અસદનો વિવેક કરી શજે તે.

* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે.

મનને જીતવાના ઉપાય કયા? * મનને જીતવા કરતાં મનનો ઇન્દ્રિયો સાથે સંબંધ ન થવા દેવો અથવા મનની અવગણના કરવી. * સત્સંગ. * તૃષ્ણાનો ત્યાગ. * ભગવતચિંતન * પ્રાણનું નિયમન * સત વસ્તુઓનો સંગ કરવો.જયારે અન્ય પદાર્થોનો જરુર પુરતો ઉપયોગ કરવો.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors