મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ? * સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે. -વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય […]
આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને સ્વાભિવિક જીવન જીવે.
મનને સન્માર્ગે વાળાવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.
સાચુ જ્ઞાન કયું?. * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મદર્શન.