મન કેવું છે? * ચંચળ. * કયારેક પહાડ જેવું અચળ. * વૃક્ષની જેમ ચલાયમાન. * કયારેક હવા સાથે ઊડી જાય તેવું તણખલાસમું નિર્મળ.
મનની ચંચળતાનું કારણ શું? * વાસના.તે મનુષ્યને બાહ્ય વિષયો તરફ ખેંચી જાય છે. * વિક્ષેપશક્તિ. -જે મન અને ઇન્દ્રિયોને બહિર્મુખ કરે છે.
સાચો સજજન કોને કહેવાય? * જે વર્ષાના વાદળની જેમ વર્તે તેને. -સાગરમાથી તે ખારુ જળ શોધે છે અને મીઠુ જળ વર્ષાવે છે -સારા-નરસાનો ભેદ કર્યા વિના બધે જળ વર્ષાવ્વ છે * અન્યની પીડા સમજે, તેને સહાય કરે અને છતા પોતે કાંઈ કર્યું છે એવું અભિમાન ન રાખે. * જેના વિચાર, વાણી અને વર્તન નિર્મળ હોય. * જેની દષ્ટિમાં સમાનતા હોય.રાગ-દ્વેષ ન હોય. * જે લોભ કપટ,પાપ.કામ અને ક્રોધથી મુકત હોય. * જે પોતાના દોષ અને અન્યના ગુણો જુએ તેને. * સદાચારને કેન્દ્રમા રાખી જીવન જીવે તેને. * અન્યના દુ;ખમાં ભાગ […]
મનને અને જીવને રોજ શું કહેવું જરૂરી છે? * અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી. * અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો. * ભોગભોગવવાની વૃતિ ના રાખવી. * સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો. * આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી. * સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું. * જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું. * કર્મભાવ ન રાખવો. * કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવ્ર બધું જોવાનું છે.
મન સ્વસ્થ રહે તે માટે શું કરવું? * મન કામનાઓનું લીલુ ક્ષેત્ર છે એટલે ફળની લાલસા, ઇચ્છા, અપેક્ષા કે કામનાથી ધેરાયેલુ મન પ્રવૃતિશીલ બને છે.ત્યારે હળવું ફુલ રહી શકતુ નથી ખરેખર તંગ બની જાય છે. * મનની અસ્વસ્થતાનું કારણ તાણ છે. * આ તાણ કે તંગદિલી દુર કરવા ફળની લોલુપતા ન રાખવી. * નિષ્કામભાવ્ર કર્મ કરવું. * અનુકૂળ કે પ્રતિકુળ સંજોગોમાં સમતા રાખવી અને મનને સદવિચારોના સંબંધમાં લાવવું.
મનને સન્માર્ગે વાળવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.
ધાર્મિક પુરૂષનાં લક્ષણૉ કયાં? * શ્રીમદભાગવતમાં નીચેનાં લક્ષણૉ ગણાવ્યા છે.તેમનું આચરણ મનુષ્યને ખરા અર્થમાં ધાર્મિક બનાવે છે; -કૃપાળુ,અદ્રોહી,સર્વ પ્રાણીઓ પ્રત્યે સહિષ્ણુ,સત્યમાં અડગ,ઇર્ષારહિત,સમદષ્ટિવાન,વિકારહિત ચિતવાળો,ઇન્દ્રિયોને વશ કરનાર,કોમળ,પવિત્ર, અપરિગ્રહી,આ લોક-પરલોકની ચિંતા ન કરનાર,મિતાહારી,શાંત સ્થિર,ભગવતશરણ લેનાર,મોની,સાવધાન,ગંભીર,ધીરજવાન,ભુખ-તૃષ્ણા-શોક-મોહ-વૃધ્ધાવસ્થા-મૃત્યુ એ છને જીતનાર,માનની ઇચ્છા વિનાનો,સૌને માન આપનાર,જ્ઞાન આપવામાં કુશળ,સર્વનો મિત્ર,કરુણાવાન તથા દ્રષ્ટા.
મનુષ્યના કેટલા પ્રકાર છે? * બે. -યંત્રારૂઢ. આપ્રકારમાં આવતા મનુષ્યો પ્રકૃતિના ચક્રમાં ધુમ્યા કરે છે તેને કયાંય વિશ્રાંતિ નથી કારણ કે તે માયાથી પ્રેરાઈને ભમે છે. -યોગારૂઢ. ભક્તિ,જ્ઞાન કે યોગ દ્રારા ચિત્ત સમભાવ પામે છે ત્યારે તે યોગારૂઢ અને છે. મનને કોણ વધુ પીડા આપે છે? * મનન ભ્રમો.
મનને ગમતો ખોરાક શું? * વૈભવ. * માહીતીજ્ઞાન. * ક્ષણિક આનંદ આપે તેવા વિષયો.
મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષની ઇચ્છા.