આપણામાં ભેદદષ્ટિ કયાં સુધી રહેવાની? * બુધ્ધિ વડે જ બધું જોઈએ ત્યા સુધી.
સર્વોતમ પરાક્રમ કયું ? * દેહભાવથી અલગ રહેવું તે. * અંતકાળ સુધી નિષ્પાપ જીવન જીવવું. * \’હુ\’નો-અહમનો હરિમાં લય કરી દેવો અથવા આત્મસાક્ષાત્કાર કરવો. * વિચાર,વાણી અને વર્તનમાં એકરૂપતા રાખવી. * જેવા છીએ તેવા દેખાવું.
સંકટ આવે ત્યારે શું કરવું ? * સામનો કરવો. * ભાગવું નહી,પરિસ્થિતિ અંગે જાગી જવું. *સંકટને બરાબર સમજી તેનો ઉપાય શોધવો અને હિંમત હાર્યા વગર સંકટને પડકારવું. * નાસીપાસ થયા વિના તેમાંથી બહાર નીકળવાનો અવિરત પુરુષાર્થ કરવો.
કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.
કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.
ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.
ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.
આ પૃથ્વી પર મોટી ધટના કઈ લાગે છે ? શાશ્વત તત્વોનો નાશવંત એવા શરીરમાં પ્રવેશ અને સમય પુરો થયે એનો ત્યાગ.
સૌન્દર્યને પામવા કયાં ગુણો આવશ્યક છે ? * ઉદારતા. * ત્યાગની ભાવના. * નિર્દોષ જીવન. * ભાવુક્તા- આશ્રર્યના ભાવની હાજરી. * ઉદાસીન વ્રુતિ અથવા ઇન્ટ્રિયો પરનો સંયમ.
વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો ? * નિરાશ ન થવું. * હિંમત રાખવી. * ધૈર્ય રાખવું. * કર્તવ્ય કર્યા કરવું.