તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી? * સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.
આધ્યાત્મિકતા માર્ગે જવા શું શું જરૂરી ? * નિશ્ચય. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.
આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.
પરમ ગતિને કોણ પામે છે ? * ગીતાકારના શબ્દોમાં કહીએ તો -જે સંગરહિત છે. -કરવા યોગ્ય કર્મો કરે છે. -જે સ્વ ધર્મને વળગી રેહે છે. -વર્તમાનની જવાબદારી સારી રીતે પાર પાડે છે. -અનાસકતભાવે જાગ્રત રહી કર્મ કરે છે.
પરમ તત્વની પ્રતીતિ થઈ છે કે કેમ ખબર પડે ? * હ્રદયમાં પરિપુર્ણતા છેવાઈ જાય. * તમામ ઈચ્છાઓ શમી જાય. અમૂતત્વનો કયારે અનુભવ થાય છે ? * દેહધ્યાસ છૂટે ત્યારે. * હ્રદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે ત્યારે. વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતવ્તથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોઅતાની […]
અજ્ઞાનની શક્તિ કઈ? * વિસ્મૃતિ અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ.? * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?
દર્શન કોને કહેવાય? * મોહ અને ભયને ટાળે તે. * મોહ અને ભય ને ટાળે તે. * ધર્મની પરમ અનુભુતી થાય તે. * ચિંતન,મનન,વિચાર અન્ર તર્ક નહિ પણ અનુભુતિ,સાક્ષાતકાર એ દર્શન છે. * દએશનમાં અંતરચક્ષુ ખુલે,દટી નિરાવરણા થઈ જાય,ાંતરજયોતિ પુર્ણપણે પ્રકાશી ઊઠે કયાંય અંધારો ખુણો ના રહે. બહારની દોડધામ કયા સુધી રહે છે ? * અંદરના આવેગો શમ્યા નથી અથવા જયા સુધી અંતકરણમાં ધમાલ રહે છે. * ધન કિર્તિ કમાઈ લેવાનો અભરખો છે * વિવેકશકિત પરિપુર્ણ રીટે ખીલી નથી હોતીએટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુ ઓડવા યોગ્ય છે […]
આત્માનો બંધુ કોણ ? * આત્મા જ. * જે દેહ પર,મન,બુધ્ધિ,ચિત્ત અને અહંએ અન્તઃકરણના વિભાગો પર અને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ એ પાંચ વિષયો પર વિજય મેળવે છે. આત્માનો શત્રુ કોણ ? * આત્માને ખરખર શત્રુ કે મિત્ર એવું કાંઈ હોતું નથી,તે દ્રન્દ્રાતીત છેઃપણ આ એક કહેવાની લઢણ છે.આત્માનો બંધુ કે આત્માનો શત્રુ બહારનો કોઈ ના હોય શકેઃએટલે કે લોકો દેહ ,ઈન્દ્રિયો,અન્તઃકરણ કે પાંચ વિષયોને જીતી શકતા નથી તેઓ આત્માના શત્રુ બને છે. આત્મા આત્માનો શત્રુ અને મિત્ર છે એટલે શું? * નામઋઉપને પ્રાધાન્ય આપીને આત્મા આત્માનો શત્રુ બન્ર છે અને નામરુપને ભુલી […]
આત્મભાવ કયારે પ્રગટ થાય? * દેહસુખની ઈચ્છાઓ નષ્ટથાય ત્યારે. આત્માની શક્તિ કઈ ? * વિચાર. અંતયાત્રા કરવાંમાં મહત્વના અંતરાયો કયા છે ? * બહિર્મુખ વૃતિ. * રૂપ,રસ,ગંધ સ્પર્શ અને શબ્દ માટેના આકર્ષણૉ. * પરોપકાર અને અનુકંપાના ભાવની પાછળ રહેલી આસક્તિ. * ઈચ્છાને શ્રધ્ધા માની લેવાનું વલણ. * પોતે જાણે છે,પોતાને ખબર પડે છે એવો અહંકાર. * દંભ અને આત્મવંચના.
સ્વ-સ્વરુપની પ્રાપ્તિ કયારે થાય ? * અંન્તકરણ રુપી દિવાલ વચમાથી ખશી જાય. * મનને કિનારે જ મુકામ રહે. * વિકાર માત્ર શાંત થઈ જાય. * વૃતિઓ રુપી બિદ્બુદો ન ઊઠે અને આવેગો શમી જાય. સસ્વરુપની પ્રાપ્તિ માટે શું ધ્યાનમાં રાખવું? * અજ્ઞાનનુ આવરણ દુર કરવા સત્વર નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરવો. * ચીજવસ્તુઓનું વળાગણ ન રાખવી. તેમાં ચિતને ડુબવા ન દેવું. * સ્વ-ધર્મનું આચરણ કરવું.કર્તવ્યનું બરાબર પાલન કરવું.પણ મમત્વથી મુકત રહેવું. * કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેથી અળગા રહી ભગવાનનું ભાવપુર્વક સ્મરણ કરવું. * ચિતશુધ્ધિમાટે સતત જાગ્રત રહી પ્રયત્ન કરતા રહેવું. * વિશેષને વિશેષ અંતમુખ […]