જીવન ધડતરમાં પાયાની બાબતો કઈ? * વિચાર અને આચાર. -નિર્મળ અને બળવાન વિચાર તેમ જ નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ અને અણિશુધ્ધ આચરણ અથવા પૂરેપૂરી સાવધાની સાથે કરેલું કર્મ જીવનધડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.
સર્વત્ર શ્રી હરિની ઝાંખી કયારે થાય? *દષ્ટિ મૃણ્મય મટી ચિન્મય બને તો.
પરાત્પર તત્વને કોણ પામી શકે? *શ્રુતિ કહે છે કે કોઈ ધીર્યવાન પુરુષ જ *આત્મપ્રધાન વ્યક્તિ,પછી તે સ્ત્રી હોય કે પુરુષ.
પોતાની જાતને રોજ શું યાદ કરાવવું જોઈએ? * હું આત્મા છુ શરીર નથી અને શરીરને આપેલુ નામ પણ નથી. * ભગવાન ! હું રાજી છુ તમે જે કરશો તે મને ગમશે.
દીર્ધ જીવન માટે મહત્વના ઉપાય કયાં ? * સાત્વિક આહાર. -દુધ,ધી,ફળ,ઉપવાસને દિવસે લેવાતો આહાર. * શુધ્ધ હવા,નિર્મળ જળ અને પરિશ્રમ. * ચિંતામાંથી નિવૃતિ. * વીર્યનું સંરક્ષણ. * સદાચાર. * પ્રસન્નતા મળૅ તેવી પ્રવૃતિમાં રસ. * પ્રાણાયામ.
જીવનમાં સંયોગ-વિયોગ આદિ દ્રન્દ્રો અનિવાર્ય છે? * સામાન્ય ઉત્તર\’હા\’માં છે.લાખો લોકો સંયોગ-વિયોગ,રાગ-દ્રેષ,સુખ-દુઃખ.હર્ષ-શોક જેવા દ્રન્દ્રોમાંથી સપડાયેલા રહે છે.ભલે કોઈ એના નિશ્ચિત કારણ પર આંગળી મુકી શકે કે ન મુકી શકે. * જયા સુધી આપણામાં તમોગુણ,રજોગુણ અને સત્વગુણ પ્રવર્તે છે,ીટલે કે ત્રણેય ગુણાની હાજરી છે ત્યાં સુધી દ્રન્દ્રોની એક અથવા બીજી રીતે હાજરી રહેવાની.જે સમભાવની સ્થિર સ્થિતિએ પહોચી ગયા છે તેમને સંયોગ-વિયોગ જેવા દ્રન્દ્રો સતાવતા નથી.
આંતરિક શક્તિ વિકસાવવા શું કરવું? * ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિચારથી અને નિશ્ચયબળથી સંયમ કરવો. * મનને જબરદસ્ત એકગ્ર કરવું.
ઉચ્ચ જીવન કોને કહેવું? * જેનાં વિચાર,વાણી અને વર્તનમાં સચ્ચાઈ,નમ્રતા,નિર્મળતા,નિષ્ઠા અને એકવાકયતા હોય. * જેમાંથી સૌ કોઈને શુભ જીવન જીવવાની પ્રરણા મળે. * જેના સમાગમ અને સહવાસથી પરમ શાંતિ અને આનંદ મળે
જીવનમાં હળવાશ કયારે અનુભવાય? * જીવનમાંક કઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે,આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.
જીવનમાં મોટામાં મોટી સિધ્ધિ કઈ? * પોતાને પોતાની ઓળખાણ થઈ જવી. * સ્થુલમાંથી સુક્ષ્મમાં પ્રવેશ અને અનણ્તનો અનુભવ. * આત્મસાક્ષાત્કાર. * નિઃસીમ પ્રેમને અખંડ વહેતો રાખવો.