ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ? * પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે. * અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી. * ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી. * કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન થવા દેવું.
ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ? * ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે. -શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે રાખવાને બદલે સકળ અંગોને પોષણ મળે તેમે વર્તે છે. -અન્યના શાંતિ-આનંદમાં આપંવાથી શાંતિ-આનંદ ટકી રહે છે એવી સમજણ ધરાવનાર ત્યાગ કરી શકે છે.
યમ કોને કહેવાય ? * વૃતિઓને રોકવામાં લેવામાં આવતા વ્રત. – અહિંસા,સત્ય,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય અને અપરિગ્રંણ એ પાંચ સર્વ સ્વીકાર્ય યમ છે.
મનોબળ દઢ કરવા શું કરવું? * શુરવીરનો સંગ કરવો. * સાત્વિક કાર્યો કરવા. * સત્સંગ કરવો. * સદગ્રથો વાંચવા અને * નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.
પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ કયાં સુધી રહે? * તેનો ઉપયોગ થઈ શકે ત્યા સુધી. * આત્મચક્ષુનો ઉપયોગ ન કરીએ ત્યા સુધી. * પદાર્થ કે વ્યક્તિના મુળ સ્વરુપનું દર્શન ન થાય ત્યા સુધી. * છીછરી અથવા માયાવી નજર હોય ત્યા સુધી.
સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ? * અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિશ્વાસ. * સાહસિક વૃતિ. * પરિસ્થિતિનો સરખો ખ્યાલ. * લક્ષ્ય ભણીની અવિરત ગતિ. * જે કાંઈ કરી રહ્યા હોઇએ તેનો મજબુત પાયો નાખવો. * આંતરિક અને બાહ્ય શક્તિઓનો પુરેપુરો ઉપયોગ. * ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું.
આશ્રમજીવન કોને કહેવાય ? * જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય. * જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય. * જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય. * ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય. * મનન-ચિંતન હોય. * સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય. * પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય. * બેઠાડુ જીવન ન હોય.