આ જગતમાં કઈ રીતે રહેવું? * બાહ્યભાવથી જગત સાથે સંબંધ રાખવો. * અંતરભાવથી ભગવાન સાથે અનુસંધાન રાખવું. * બહારથી સક્રિય, અંદરથી નિષ્ક્રિય. * ડાબે હાથે જગતના કામ કરવાં,જમણો હાથ હરિને સોંપવો. * જળકમળવ્રત. * જળમાં નૌકા રહે છે તે રીતે.જલ ઉપર નાવડી હોય છે.નાવમાં જળ હોતું નથી.તેવી જ રીટે સાધક સંસારમાં રહે તેથી નુકશાન નથી,પણ સાધકના હ્રદયમાં સંસાર રહેવા માંડે ત્યારે જીવનનૌકા હાલમડોલમ થવા માંડે. * જળકમળવ્રત,અલિપ્તનાસક્ત ભાવથી. * લોકગીતામાં કહ્યુ છે તેમ- સંસારથી સરસો કહે,મન મારી પાસ, સંસારથી લોપાય નહી,જાણે મારો દાસ. * આપણે દેણદાર છીએ અને જગત લેણદાર […]