વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે? * ઇચ્છાશક્તિ *ક્રિયાશક્તિ અને * અજ્ઞાનશક્તિ -આ બધી શક્તિઓ પરસ્પર અવલંબિત છે અને તેના મિશ્રણપણાથી સર્જન થાય છેતેમાં પરમાત્માનો સહયોગ અનિવાર્ય છે કોઈ એક શક્તિ કે ચારે ય શક્તિ પરમાત્માની ગેરહાજરીમાં કામ કરી શકતી નથી. -ભગવાન સત્તા અને સ્મૃતિ સાથે ચારે ય શક્તિઓમાં અંશાત્મક રીતે પ્રવેશ કરે છે એટલે તે કાર્યરત બને છે.
સૌથી શ્રેષ્ટ શોધ કઈ ? * પરમ તત્વની. -પરમાત્માની ખરેખર શોધ કરવાની નથી,પણ પરમાત્માના ગુણધર્મ,સત્તા અને સ્મુતિનો નિત્ય-નિરંતર અનુભવ કરવાનો છે.આ અનુભવમાં સકલ અનુભવો સમાવિષ્ટ થઈ જાય છે. * હુ કોણ છુ અથવા પોતાપણૂ નક્કી કરવ માટેની શોધને પણ શ્રેષ્ટ શોધમાં સ્થાન આપી શકાય. જે શોધને બાહ્યજગત સાથે નહિ પણ આંતરસુષ્ટિના અસ્તિત્વ સાથે સંબંધ છે.
ઉપાધીનું મુળ શું?સંશય અને વાદવિવાદનું મુળ કયું? *માન્યતા.
*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]