ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.
જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]
પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.
વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતત્વથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે. (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોતાની જાતને વશ કરીને, રાગદ્રેષ જીતીને,એકાંતનું સેવન કરીને,આહાર ઓછો કરીને,વાણી,શરીર અને મનને અંકુશમાં રાખીને ધ્યાન યોગમાં નિત્ય પરાયણ રહીને,વૈરાગ્યનો આશ્રય લઈને,અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહ ત્યજી દઈઅને,મમતરહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે.
અહં શું છે? * ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ. -કાર્ય કરવાનું જે બળ તે અહં છે. -જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે. -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે. -સૌથી વધુ નુકશાન કારક શક્તિ.