વિભકત મન કોને કહેવું?

વિભકત મન કોને કહેવું? * જે મન અસ્થિર એ,ભટકતું છે તેને. * જે સ્થાપિત હિતોમાં ખેંચાયા કરે એ. * જે મન આવેશમય છે.

જીવનમુકત કોને કહેવાય?

જીવનમુકત કોને કહેવાય? * જેની જીવન સંબંધેની ઉપાધી નષ્ટ થઈ ગઈ છે તે. * જે જગતમાં સ્વાભાવિક રીતે રહે છે છતાં અંદરથી અલિપ્ત છે. * જે અનેક વિકારો વચ્ચે નિર્વિકારી છે. * જે સર્વ સ્થિતિમાં સમતા ધારણ કરે છે. * જેનો કર્તાભાવ શમી ગયો છે. * જે દ્રન્દ્રોથી પર છે

આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?

આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો? * સ્વ દોષોને ઓળખવા-પારખવા અને એ દોષોમાંથી મુક્ત થવાય તે માટે પુરેપુરી જાગૃતિ રાખી નિષ્ઠાપુર્વક તેમને દુર કરવા પ્રયત્નશીલ રહેવું. * જ્ઞાની પુરુષો સાથે સત્સંગ કરવો. * અનુભવી પુરુષોનો સહવાસ કરવો. * સદગુણોનો સરવાળૉ,બુરાઈઓની બાદબાકી,ભ્રમનો ભાગાકાર

મન કયારે શાંત થાય?

મન કયારે શાંત થાય? * મનના સર્વ સ્વાદ-રસો નિર્મળ થઈ જાય. * ઇચ્છાઓ,હેતુઓ શાંત થઈ જાયા. * વિકારના કારણો હાજર હોય છતાં મનમાં કોઈ પ્રકારની વિક્રિયા જન્મે નહી. * ઇન્દ્રિયોને સુખ આપનાર સકળ પદાર્થોનું ચિંતન કે સહવાસ મટી જાય-વિષયો પ્રત્યે આસક્તિ ન જન્મે. * વિક્ષેપ કરનારી વધી બાબતો નિર્મૂળ થઈ જાય.

જીવનવિષયક સંદેહો કયારે ટળૅ?

જીવનવિષયક સંદેહો કયારે ટળૅ? * મન દ્રન્દ્રરહિત થાય. * મન કોઈપણ જાતના ઉપદ્રવ્યો વિનાનું થાય,નિષ્કામ અને ચંચળતા-વિહોણું થાય.શોક,મોહ અને ભયરહિત થાય ત્યારે

મનને  અથવા  જીવને રોજ શું કહેવું જરૂરી છે?

મનને અથવા જીવને રોજ શું કહેવું જરૂરી છે? * અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી. * અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો. * ભોગ ભોગવવાની વૃતિ ન રાખવી. * સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો. * આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી. * સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું. * જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું. * કર્મભાવ ન રાખવો. * કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવે બધું જોવાનું છે.

મનની પકડમાંથી બચવાનો ઉપાય શું?

મનની પકડમાંથી બચવાનો ઉપાય શું? * મનની અવગણના કરવી. * કોઈપણ ધટના બને તો તેને તત્કાળ ગ્રહણ કરી આધાત-પ્રત્યાધાત ન આપવા. * મનને દુઃખ થાય કે સુખ થાય તેવું તત્ક્ષણ ન થવા દેવું.અપમાન થાય તે વેળા મન તેને તરત પકડી લે અથવા પ્રશંસા થાય ત્યારે મન ફુલ્યુ ન સમાય એ જોખમી સ્થિતિ. * મન સુધી કશું પહોચે તેમ ન થવા દેવું.જે કાંઈ બને તેને થોડી ક્ષણૉ ભુલી જવાની આદત પાડવાથી મન મજબુત બનતું નથી મનને ખોરાક મળે તો તે બળવાન રહે.થોડી ક્ષણૉ વચ્ચે વિતે એટલે મનની પકડ આપોઆપ ઢીલી થઈ […]

અભ્યાસ ટાળવા શું કરવું? * નિયમિત અને નિત્ય અભ્યાસ જારી રાખવો.

જીવની શક્તિઓ કઇ ?

જીવની શક્તિઓ કઇ ? * વૃતિ.એ પ્રવાહિત થઈ શકે,કેન્દ્રિત થઈ શકે અને તાદાત્મ્ય સાધી શકે. * સત્વગુણ, રજોગુણ ને તમોગુણ અથવા પ્રકૃતિ એ જીવની શક્તિ. જીવને જાણ છે કે ત્રિગુણાત્મકશક્તિ એની છે. -જીવ (ઇચ્છાશક્તિ) ક્રિયાશક્તિને આધીન બની ગયો છે.ખરેખર તો ક્રિયાની જન્મદાત્રી ઇચ્છા છે ઇચ્છાશક્તિ જીવંત છે.પણ કરુણતા એ છે કે અજ્ઞાનને કારણે જીવ ત્રણ ગુણને લીધે આધીન બની ગયો છે ક્રિયાશક્તિ સાધન છે તે પોતે દુષિત નથી.એનો ઉપયોગ કરનાર જીવ ક્રિયાને દુષિત કરે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors