Warning: Undefined variable $post_id in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/header.php on line 34
સુખી થવું છે ? આટલું જરૂર કરો

જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક
છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન
આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી.
જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન
જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ
પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે.
(૧)આત્મનિરીક્ષણ (૨) સમજવાનો અને સમજાવવાનો દૃષ્ટિકોણ (૩) પ્રાર્થના – પૂજા.

આત્મનિરીક્ષણ
દરેક મનુષ્યએ પોતાનું આત્મનિરીક્ષણ કરવું જ જોઇએ. જે મનુષ્ય આત્મનિરીક્ષણ કરે છે તે પોતે કયાં ઉભો
છે? તે જાણી શકે છે. જે પોતાની જાતનું પરીક્ષણ કરે છે તે કઇ પરિસ્થિતિમાંથી કેવો માર્ગ કાઢવો તે જાણી શકે
છે. તે માટે તે ટૂંકો માર્ગ અપનાવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે. સત્યનો માર્ગ કંાટાળો છે. ટૂંકે માર્ગે
મેળવેલું ધન, જ્ઞાન કે યશ ઓછું આયુષ્ય ધરાવે છે. આ સત્ય સૌએ જાણવું તથા પીછાણવું જોઇએ. જે બાબત
મનુષ્યને દુઃખી બનતો અટકાવે છે.
(૨) સમજવાનો અને સમજાવવાનો દૃષ્ટિકો ણ ઃ-
કોઇપણ વાત શરૂ કરતાં પહેલાં કોઇપણ વ્યકિત પોતાના જ દૃષ્ટિકોણથી જોવાનો વિચાર કરે છે. તેને બદલે
સામી વ્યકિત સામી વ્યકિત કેવી પરિસ્થિતિમાં છે? તે જુએ જાણે તો તેને આગળ શું કરવું તેની સમજ પડે છે.
સામી વ્યકિતની જગાએ તે પોતે ઉભો હોત તો તે શું કરત? તે સમજવું પડે. આમ સામી વ્યકિતને સમજવાની
તથા સમજાવવાની જેનામાં આવડત હોય તે વ્યકિત સુખી થાય છે.
(૩) પ્રાર્થના પૂજા ઃ-
માત્ર દુઃખમાંજ પ્રભુ પ્રાર્થના કરવી તે તો સ્વાર્થ છે. સંત કબીર સાહેબે પણ એક દોહામાં કહ્યું છે કે, દુઃખમ
સબ કરે. સુખમ કરે ન કોઇ જો સુખમ સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય? એટલે કે મનુષ્ય ઊપર દુઃખ આવે
ત્યારે જ તે ભગવાનનું નામ પ્રેરાય છે. તેને જયારે સુખ આવે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. જો સુખ
દરમ્યાન તે ભગવાનને યાદ કરે તો તેને દુઃખ કદી નથી આવતું.
આથી મનુષ્યએ દુઃખમાં જ ભગવાનને યાદ ન કરતાં તેના નિયમ પ્રમાણે દરરોજ પૂજા-પાઠ કરવાં જ જોઇએ.
પૂજા-પાઠ કરવાથી તેનાં જીવનમાં કોઇ તકલીફ આવતી નથી. જો આવે તો તે પ્રભુકાૃપાએ દૂર થઇ જાય છે.
અથવા હળવી થઇ જાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
વિભકત મન કોને કહેવું?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જીવનમુકત કોને કહેવાય?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors