દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૩૭ થી ૪૮

દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૩૭ થી ૪૮

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |
તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુધ્ધાય કૃતનિશ્ર્વય: ॥ ૩૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કાં તો તું યુધ્ધમાં હણાઇને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુધ્ધ માટે નિશ્ર્વય કરીને ઊભો થૈ જા. ॥ ૩૭ ॥
સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |
તતો યુધ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુ:ખને સમાન સમજ્યા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઇ જા; આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. ॥ ૩૮ ॥
એષા તેડભિહિતા સાઙૂખ્યે બુધ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ |
બુધ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! આ બુધ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુધ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બન્ધનને સારી પેઠે ત્યજી દઇશ એટલે કે કર્મબન્ધનમાંથી છૂટી જઇશ. ॥ ૩૯ ॥
નેહાભિક્રમનાશોડસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ કર્મયોગમાં આરમ્ભનો અર્થાત્ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત્ અવળા ફળરૂપી દોષ પણ નથી; બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. ॥ ૪૦ ॥
વ્યવસાયાત્મિકા બુધ્ધિરેકેહ કુરુનન્દન |
બહુશાખા હ્યનંતાશ્ર્વ બુદ્ધ્યોડવ્યવસાયિનામ્ ॥ ૪૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! આ કર્મયોગમાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ એક જ હોય છે; જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુધ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. ॥ ૪૧ ॥
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદંત્યવિપશ્ર્વિત: |
વેદવારતા: પાર્થ નાન્યદસ્તીતિ॥૪૨॥
વાદિન: કામાત્માન: સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્ર્વર્યગતિં પ્રતિ ॥ ૪૩ ॥
ભોગૈશ્ર્વર્યપ્રસક્તાનાં તયાપહ્રતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુધ્ધિ: સમાધૌ ન વિધીયતે ॥ ૪૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુધ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી- એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેંનારી તેમજ ભોગ તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી-બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે; તે વાણી દ્ધારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્ર્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ નથી હોતી. ॥ ૪૨–૪૪ ॥
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન |
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિરહિત અને હરખ-શોક વગેરે દ્ધન્દ્ધોથી રહિત બનીને નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલેકે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંત:કરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા. ॥ ૪૫ ॥ યાવાનર્થ ઉદપાને સર્વત: સમ્પ્લુતોદકે | તાવાન્ સર્વેષુ વેદેષુ બ્રાહ્યણસ્ય વિજાનત: ॥ ૪૬ ॥
બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલુંજ પ્રયોજન રહે છે. ( અર્થાત્ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઇ જતાં જળ માટે નાનાં જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનન્દની પ્રાપ્તિ થતાં આનન્દ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. ) ॥ ૪૬ ॥
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙગોડસ્ત્વકર્મણિ ॥ ૪૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોના ફળનો હેતુ થા મા; અર્થાત્ ફલાપેક્ષાથી રહિત થઇને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. ॥ ૪૭ ॥
યોગસ્થ: કુરુ કર્માણિ સઙ ત્યક્ત્વા ધનગ્જય |
સિદ્ધયસિદ્ધયો: સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર; ‘સમત્વ’ એ જ યોગ કહેવાય છે. ॥ ૪૮ ॥

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors