Warning: Undefined variable $post_id in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/header.php on line 34
દહીં કચોરી

જરૂરી સામગ્રી :

કચોરી માટે (આશરે 60 કચોરી થશે) (1) મેંદો : 1 કિલો (2) ચણાનો લોટ : 300 ગ્રામ (3) આખા ધાણા : 2 ચમચા (4) ઘી : બે મોટા ચમચા (5) વરિયાળી : 2 ચમચા (6) આંબલીનો ઘટ્ટ રસ 2 ચમચા જેટલો (7) મોટા લાલ મરચાં : નંગ 18.

 

બનાવવાની રીત :

મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો.

ચણાનો લોટ કોરો શેકવો. તેમાં ઘટ્ટ આંબલીનું પાણી અને પ્રમાણસર મીઠું નાખી લોટને તરત ચોળી નાંખો. પછી વરિયાળી, ધાણા, મરચાં તેલમાં શેકીને વાટી લો પછી ચણાના લોટમાં મિક્સ કરો.

મેંદાના લોટમાંથી મધ્યમ માપના લુઆ કરી તેને હલકે હાથે વણો.

તેમાં મસાલાવાળો ચણાનો લોટ પ્રમાણસર ભરી કચોરી વાળીને તળો.

આ હલકે હાથે વણવી જરૂરી છે, કારણ ભાર દઈને વણેલી કચોરી ઊપસતી નથી.

 

ભરવા માટે મસાલો :

અડધા કિલો મઠને સરખા બાફો. તેને તેલ અને હીંગનો આછો વઘાર આપો.

આંબલીની ચટણી :

200 ગ્રામ આંબલી પલાળી તેનો રસ કાઢી ગાળી નાખો. તેમાં (1) ખાંડ : અડધો કિલો (2) તજ-લવિંગનો ભૂકો : 1 ચમચી (3) જીરું : 1 ચમચી અધકચરું વાટેલું (4) મીઠું : પ્રમાણસર (5) પીસેલું સંચળ : 1 ચમચી (6) મરચાં : 2 ચમચા પીસેલા નાખો. આ ચટણી જોઈએ તેવી ઘટ્ટ અથવા પાતળી બનાવો.

 

તીખી ચટણી :

(1)લીલા મરચાં : 100 ગ્રામ (2) મીઠું પ્રમાણસર (3) ફુદીનો : એક મોટી ઝૂડી વાટી તીખી ચટણી બનાવો

1 લિટર દહીંને વલોવી એકરસ થાય એટલે તેમાં જોઈએ તે પ્રમાણમાં મીઠું ભેળવો. ઊપસેલી કચોરીને પાણીપુરીની જેમ ફોડી તેમાં મઠ, આંબલીની ચટણી અને થોડું દહીં ભરો અને ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી ખાવાના ઉપયોગમાં લો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
વિભકત મન કોને કહેવું?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જીવનમુકત કોને કહેવાય?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors