Warning: Undefined variable $post_id in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/header.php on line 34
તમારા બાળકને સમય આપો

બાળકના જન્મની સાથે જ માતા – પિતાએ તેના માટે હંમેશાં પૂરતો સમય ફાળવવો જોઇએ. તેના વિકાસ માટે અત્‍યંત જરૂરી એવું વાતાવરણ રચવું જરૂરી છે.
તેમાં સમય અને માનસિક સમતુલા બન્‍નેની આવશ્‍યતા છે. પરિસ્થિતિને સમજીને બાળકની દરેક હિલચાલ, ચેષ્ટાઓ, પસંદગી-નાપસંદગી, વિધાનો વગેરે ઉપર ધ્‍યાન આપવું જોઇએ.
બાળકને ઉછેરતાં ઉછેરતાં આપણે પણ ઘણું બધું શીખતાં જઇએ છીએ. સવારનો અને રાત્રિનો સમય ખાસ બાળકો માટે ફાજલ રાખવો જોઇએ.
તેમને આપણી સાથે રમવા અને વાતો કરવા પ્રેરીએ. તેમના સમયમાં માત્ર તેમની સાથે જ રમીએ, વાતો કરીએ, પ્રવૃતિ કરીએ.
બાળકોને પણ આપણા પ્રત્‍યે પ્રેમ, આદર થશે. આ સમયમાં ટેલિફોન પર લાંબી વાતચીત, અન્‍યની દખલગીરી, ટીવીના કાર્યક્રમો વગેરે ટાળી શકાય.
નોકરી કરતાં માતા પિતાએ બાળકને સમય આપવાની બાબતની ખાસ કાળજી લેવી જોઇએ. આ માટે સમયનું આયોજન કરો.

જેમ કે બાળકને રાતના સમયે ફિલ્મ જોવા કે હોટલમાં લઇ જવા. રજાના દિવસો માત્ર બાળકો સાથે જ ગાળવાનો આગ્રહ રાખો. વેકેશનમાં કોઇ ટૂર પર લઇ જવા.

આમ કરવાથી બાળકને એ વાતનો અહેસાસ થશે કે મા બાપ પાસે અમારા માટે પણ સમય છે. અને તે વધુ તમારી નજીક આવશે.
નોકરી કે ઘરકામમાંથી સમય કાઢી તેને હોમવર્કમાં મદદ કરો. ક્યારેક તેની સાથે ખરીદી કરવા નિકળી પડો.
ભોજનના સમયે બાળક સાથે તેના અભ્યાસની તથા તેના મિત્રો વિષેની ચર્ચા કરો.
આ પ્રમાણે બાળકને પુરતો સમય ફાળવવાથી તે લાગણીથી તમારી સાથે બંધાયેલુ રહેશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
વિભકત મન કોને કહેવું?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જીવનમુકત કોને કહેવાય?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors