Warning: Undefined variable $post_id in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/header.php on line 34
ઓખાહરણ-કડવું-૪૨

ઓખાહરણ-કડવું-૪૨ (રાગ-ઢાળ)
ચિત્રલેખા અનિરૂધ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે.

ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાવું;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)

અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;
સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)

બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;
લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)

જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;
કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)

ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)

ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;
મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)

હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)

એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;
આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)

ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)

પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ;
કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)

બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)

ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;
તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)

નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;
એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. (૧૩)

ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;
પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪)

ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;
તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)

પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;
ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)

ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક;
ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)

નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે;
શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)

ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;
તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)

નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;
એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)

તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;
કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)

ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;
તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)

ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;
પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)

જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;
ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)

ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;
સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)

હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;
માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)

જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;
હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)

હિંડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;
પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)

બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;
તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)

એ જ્યારે ગ‌ઇ ત્યારે, હું એ મારે જાઉં;
તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉં ? (૩૦)

નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;
આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)

નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;
કાલે પછી ચોરી થશે, તું ન લ‌ઇશ મારું નામ. (૩૨)

આકાશ મારગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)

વા વાય ને બારી હાલે, ખડખડાટ બહુ થાય;
ચિત્રલેખા પાપણી તે, હજુ ના આવી આંય. (૩૪)

ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયા માંય;
ભલે આવી ભલે આવી, હું જગાડું ભરથાર રે. (૩૫)

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
લોભને કોણ શોષી લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
વિભકત મન કોને કહેવું?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
જીવનમુકત કોને કહેવાય?

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 15
આંતરિક વિકાસ માટેનો રામબાણ ઇલાજ કયો?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors