જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ? * અનુભવિઓએ ચિધેલો. * મધ્યમમાર્ગ. * કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે. * માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે. * રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું. * અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે. * નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી […]
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.
અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.
ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.
પરમાત્માંની હાજરી કયાં છે ? * અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર. * જયાં ભોગની રુચિ નથી. * જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે. ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. […]
ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.
જીવ મહાન કયારે બને ? * જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે. જીવ વિભાગમાં કોણ આવે ? * ઇચ્છાને આધીન બને તે. જીવાત્માં શેનાથી બદ્ધ છે ? * આસકિતથી. * કર્મેથી. -કર્મ શોક અને મોહમાં ડુબાડે છે. * કાળથી. * વાસનાથી.
પરમાત્માં શું છે ? * સર્વને ચેતના આપતી સત્તા. * પ્રક્રૂતિનુ અપ્રગટ અસ્તિત્વ. *પ્રક્રૂતિનું નિઃશેષણપણે શાંત થઈ જવું. * વિશ્વવ્યાપિ સત્તાનું કેન્દ્ર.
જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.
જીવાત્મા કોને કહેવાય ? * જે દેહને પોતાનું સ્વરુપ માને છે તે જીવાત્મા છે * જે કારણ અને કાર્યથી,કર્મે અને તેના ફળથી સંકળયેલો છે * પ્રક્રુતિના નિયમોથી બધ્ધ છે * શરીરની સર્વે ક્રિયાઓન પ્રેરક અને સંચાલક છે