મનુષ્યે આંતરિક વિકાસ સાધવો હોય તો પાયાની બાબતો કઈ ? * સાધના. * વ્રુતિઓ અને વાસનાઓ પર અંકુશ. * રાગ-દ્વેષ જેવા ધાડપાડુઓના હાથમાં સપડાવું નહિ. * નિયમિતતા,નિષ્ઠા અને અનાસક્તિ કેળવવી. * પ્રત્યેક પરિસ્થિતીમાં સમતા રખવી. * જ્ઞાન પ્રાપ્તી માટે નિરંતર પુરુષાર્થ કરવો. * કોઇ પણ સંજોગોમાં શ્રધ્ધા ન ડગવી જોઇએ. * ચારિત્રનું જીવની જેમ રક્ષણ કરવું…

પરમાત્માની સહેજે સ્મૃતિ રહે તે માટે શું કરવું? * પ્રત્યેક બાબતમાં ભગવાનને આગળ રાખવા.એટલે કે કર્તાભાવ ન રાખવો.બધુ પ્રભુમય છે અને એમની ઇચ્છાથી જ થઈ રહ્યુ છે એવી નિત્ય જગૃતિ રાખવી. * પરમાત્મા શેઠ છે અને આપણે મુનિમ છીએ એવો નિરંતર ભાવ કેળવવો.

મનુષ્યની મોટી ખામી કઈ ? * પોતાની મુર્ખતા.

કયાં મનુષ્યને પસ્તાવો કરવો પડતો નથી ? * ભગવાનના ભરોસે જીવનારને. * નિરપેક્ષ અને નિરાગ્રહી જીવન જીવનારને. * કામ, ક્રોધ, લોભ,મદ, મોહ.મત્સર જેવી વ્રુતિઓને છોડનાર. * સમજણર્પુર્વક જીવન જીવનારને. * સંયમીત જીવન જીવનારને.

મનુષ્યના સદગુણોને કોણ નષ્ટ કરે છે ? * વ્યકિતભાવનો ધારદાર ભાલા જેવો અહંકાર. * અગ્નિ સમાન દાહક ક્રોધ. * કરવાત જેવી ઇર્ષા. * અવાર નવાર ફણગાની જેમ ફુટી નીકળતી વાસના. * થીજી ગયેલી પાપ વ્રુતિ. * મર્કટે જેવી ચંચળતા. * તળિયા વિનાની કોઠી જેવો લોભ. * રુપ પ્રત્યેનો મોહ અને પ્રિય પ્રત્યેની આસક્તિ.

મનુષ્યમની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? * ત્રુષ્ણા. * લોભવ્રુતિ. * સંગ્રહવ્રુતિ. * કીર્તિની લાલસા. * અસંતોષીનો સહવાસ. * મહત્વકાંક્ષા.* અહંકાર..

સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?. * સ્વાનુભવ * સાચી સમજદારી. * એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. * એને કરેલું તપ અથવા એની સાધના. * આચરેલો ધર્મ. * આપેલું દાન. * જીવનમાં વણાયેલું સત્ય. * એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.

મનુષ્યને સૌથી વધુ બોજો શેનો લાગે છે ? * તેણે આચરેલા પાપનો.

છેલ્લામાં છેલ્લુ આવરણ કયુ? * સુક્ષ્મ અહંકાર.

મનુષ્ય શરીરનું એક મોટું આવરણ કયું? *રુચિ. -જીવ ગમતા ભણી જ ખેચાય છે તે ન થવા દેવું જોઈએ. ગમાઆણગમાથી અલગ થઈ જવું એ અતિ મહત્વનું છે

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors