મનુષ્યમની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? * ત્રુષ્ણા. * લોભવ્રુતિ. * સંગ્રહવ્રુતિ. * કીર્તિની લાલસા. * અસંતોષીનો સહવાસ. * મહત્વકાંક્ષા.* અહંકાર..
સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?. * સ્વાનુભવ * સાચી સમજદારી. * એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન. * એને કરેલું તપ અથવા એની સાધના. * આચરેલો ધર્મ. * આપેલું દાન. * જીવનમાં વણાયેલું સત્ય. * એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.
મનુષ્યને સૌથી વધુ બોજો શેનો લાગે છે ? * તેણે આચરેલા પાપનો.
છેલ્લામાં છેલ્લુ આવરણ કયુ? * સુક્ષ્મ અહંકાર.
મનુષ્ય શરીરનું એક મોટું આવરણ કયું? *રુચિ. -જીવ ગમતા ભણી જ ખેચાય છે તે ન થવા દેવું જોઈએ. ગમાઆણગમાથી અલગ થઈ જવું એ અતિ મહત્વનું છે
આપણી શક્તિઓ કયારે ઢીલી ન પડે ? * વ્યવસ્થિત ગતિ હોય તો. * પરિસ્થિતિનો બરાબર ખ્યાલ હોય તો. * સમજણપુર્વક કરતા હોય તો. * દઢ મનોબળ હોય તો. * અન્યનું હિત કરવાનો ભાવ હોય તો.
જીવંતપણુ એટલે શું ? * સ્વતંત્રતા;નિરાવલંબન. * ચેતનાનો વધુમાં વધુ આવિષ્કાર.
ભકતનું ભગવાન સાથેનું જોડાણ કેવું હોવું જોઇએ? * રેલવેન ડબ્બાનું એંજિન સાથે મજબુત જોડાણ હોય છે!અંકોડા ભરાવેલા હોય અને સાંકળ પણ હોય. એકદમ પાકું જોડાણ. ગમે તેટલા આંચકા લાગે તો પણ ડબ્બો ન પડે. આવું પાકું જોડાણ હોવું જોઇએ.
વિવેકરહિત મનુષ્ય કોને કહેવાય ? * જેને નિત્ય અને નશ્વરનો વિવેક નથી તેને. * અવિચારી મનુષ્યને. * જે સાંસારિક બાબતોમાં જ ડુબેલો રહે તેને. * જે આસુરી વ્રુતિઓને આશ્રય લે તેને. * જે અધમ અને ન કરવાનાં કર્મ કરે તેને.
મનુષ્યને ફસાવનારું કોણ ? * ઇન્ટ્રિયોની વિષયજાળ. * દેહને અનુસરનારું મન. * અનિયંત્રિત અને મલિન મન . * અણસમજથી ઉત્પન્ન થયેલી માન્યતા.